llસુખ-સમૃદ્ધિ માટે ચમત્કારિક વસ્તુઓ ll લેખાંક:-(૭) ll
(૭)લઘુનારિયેળ(શ્રી ફળ):- લઘુ નારિયેળના વૃક્ષ મુખ્યત્વે દરિયા કિનારે થાય છે. આ નારિયેળ ના વૃક્ષ પર મોટા નારિયેળ ની જગ્યાએ સોપારી જેવડા આકારના નાના નારિયેળ કુદરતી રીતે લાગેછે, તે નારીયેળ ને લઘુનારીયેળ તરીકે ઓળખાય છે,આવા નારિયેળ મંત્ર-તંત્ર માં ઘણાજ ઉપયોગી છે. પ્રયોગ:- ***** ગુરુ પુષ્ય અગર બીજા અન્ય શુભ યોગો -નક્ષત્ર -મુર્હુત માં લઘુશ્રીફળ લઈ આવવું પછી તેને સ્વચ્છ પાણી થી ધોઈ નાખવું, રૂમાલથી કોરું પાડીને પૂજાસ્થાને પૂર્વ દિશા એ બાજટ ઉપર લાલ વસ્ત્ર પર સ્થાપિત કરવું.તેના પર સિંદૂર,કપૂર,નાની એલચી,લવીંગ,કમશ: ચડાવવા.અને ધૂપ દીપ કરવાં. ચાંદીનો એક રૂપિયો પણ મુકવો,ત્યાર બાદ મંત્ર:ll ૐ શ્રીં શ્રીર્યે નમઃ ll આ મંત્ર ની 5,9કે 11 માળા કરવી.આમ કરવાથી લઘુ શ્રીફળ મંત્ર સિદ્ધ થાય છે. તેની રોજ ધૂપ,દીપ,સિંદૂરથી પૂજા કરવી તેથી સાધક ને (વ્યક્તિને) ત્યાં લક્ષ્મી ની કૂર્પા રહે છે. ચેત્રી નવરાત્રી,આસો માસની નવરાત્રી,કે દીપાવલીના દિવસો કે પછી યોગ્ય,નક્ષત્રો,...