રિદ્ધિ-સિદ્ધિ નો રાજમાર્ગ બીલીપત્ર નો પ્રયોગ.
ll રિદ્ધિ સિદ્ધિનો રાજમાર્ગ બીલીપત્રનો પ્રયોગ ll બીલીનું વૃક્ષ એ પવિત્ર ગણાય છે.તે ખાસ કરીને મહાદેવના મંદિરે મળશે .તેમજ શહેર/ગામે-ગામ ગ્રીન નર્સરી ઓ આવેલી છે. જેથી બીલીના છોડ મળતા હોવાથી હવે દરેક જગ્યાએ એટલેકે મકાન આગળ કે બાગ-બગીચા-જંગલ માં કે ખેડૂતો ના ખેતરો માં જોવા મળેછે અને સહેલાય થી મળે છે. ખાસ કરીને નદી-સરોવર-તળાવ-મંદિર-શિવાલય-ગુરુસ્થાન-અને મકાનનું આંગણું વિગેરે જગ્યાએ બીલીનું ઝાડ 11 વર્ષ કે તેથી વધુ મોટું હોવું જોઇએ. નીચે મુજબ ના સમય પ્રમાણે અથવા તેના આગલા દિવસે બીલીના ઝાડ પાસે જઈ પગે લાગવું. બીલી વૃક્ષ ના પાન લાવતી વખતે બોલવાનો મંત્ર:- મંત્ર:- llૐ હ્રિમ ચન્ડે હું ફ્ટ સ્વાહા ll આ મંત્ર નો જાપ ચાલુ રાખવો ત્યાર પછી અષ્ટગંધ-કુમકુમ વડે પુજન કરી હળદર વાળા ચોખા ચડાવવા અને ત્યાર પછી મંત્ર બોલતા -બોલતા બીલીના 5 પાન લેવા.અગર તેજ દિવસે જઈ વિધિ- વિધાન કરવું. ...