Posts

Showing posts from December, 2019

ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll( ભાગ -૪ )

ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll (ભાગ- ૪) ક્રમશઃ ભાગ-૩ નું ચાલુ... (૧૧)આ મંત્ર જાપ કરવાથી લોહી વિકારથી રકત-મજ્જા,અસ્થિ -વિકાર કિડની પથરી,શરીર પરના ચાંદાં,હાડકાના વા,વિગેરે દર્દો મટી જાય છે.આ મંત્રના 1001 મંત્ર જાપ કરવા. મંત્ર:-ll ૐ પાર્વતીભ્યામ નમઃ ll (૧૨)આ મંત્ર પ્રયોગથી તમામ વાયુવિકાર નાશ પામે છે, તેમજ બ્લડપ્રેશર મટી જાય છે.તે મંત્ર શક્તિવડે મટે છે.1001જાપ કરવા જોઈએ, મંત્ર:-ll ૐ વર્જૉહસ્તાભ્યા નમઃll (૧૩)આ મંત્રના જાપથી ગ્રહપીડા નિવારણ દૂર થાય છે,એક્સિડન્ટ,અપમૃત્યુ,થતું નથી,ભૂત-પ્રેત પિચાશ દૂર થઈ જાય છે. આ મંત્ર ને અગાઉથી 1008 વાર રુદ્રાક્ષની માળા વડે મંત્ર સિદ્ધ કરી લેવો,ત્યાર બાદ દરરોજ પ્રાતઃકાળે 108 મંત્ર જાપ કરવા,બીમારી દૂર થઈ જાય ત્યાં સુધી જાપ ચાલુ રાખવો.સંપૂર્ણ બીમારી મટી જાય પછી 5 કુવારીકાઓ ને જમાડવી, દાન દક્ષિણા/નવીન વસ્ત્ર આપવા. મંત્ર:-ll ૐ કં કલ્યાણ શોભનાભ્યામ નમઃ ll (૧૪)આ મંત્ર જાપ કરવાથી શરીરના તમામ પીડા -દર્દ  દૂર થઈ જાય છે.  પેટના આંતરડાં ના અલ્સર,આમાશય ને લગતા દર્દ દૂર થઈ જાય છે. મંત્રના 51001 જાપ કરવા. મંત્ર:-ll ૐ કાં કાલરાત્રીભ્યાં નમઃ...

ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll( ભાગ:3)

આગળથી ક્રમશઃ ભાગ:2થી ચાલુ... ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll (ભાગ: 3) મંત્રનો જાગૃતકાળ અને શયનકાળ:- -------------------------------------           મંત્ર જાપ વિધી વિધાન ક્યારે કરવા તેની વિગતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ચોક્કસ પરિણામ મળી શકે.          ડાબી નાસિકા સ્વર ચાલતો હોય ત્યારે આગ્નેય મંત્ર નો સુવાનો સમય જાણવો,જમણો સ્વર ચાલતો હોય ત્યારે આગ્નેય મંત્રને જાગૃત થવાનો સમય જાણવો,જ્યારે બંન્ને નાસિકાઓનો સ્વર ચાલતો હોય ત્યારે બન્ને મંત્રોનો જાગૃત કાળ સમજવો,તે વખતે આગ્નેય અને સૌમ્ય બંન્ને પ્રકારના મંત્રોનો જાપ કરી શકાય,આ સાથે કાર્યસફળતા અને આરોગ્ય જળવાય તેવા મંત્રો આપવામાં આવેલ છે જે સૌને ઉપયોગી-કારગત નીવડશે.           જમણી નાસિકા  સૂર્ય સ્વરથી પૂરક કરી પેટમાં પ્રાણવાયુને પુરી યથાશક્તિ કુંભક કરવો અને ત્યાર બાદ ડાબી નશીકાથી ધીરેધીરે રેચક કરવો એટલેકે સ્વાસ બહાર ફેકવો આ એક પ્રાણાયમ ગણાય છે.           યોગના પ્રારંભમાં 10થી 20 પ્રાણાયમ કરવા જેના અભ્યાસથી 90 દિવસમાં ...

ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll(ભાગ:-2)

ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll(ભાગ:2) પીંગલાનાડી (સૂર્ય )સ્વર ચાલે ત્યારે કરવાના કામો:- -----------------------------------------------------        ( ૧) ભણવું-ભણાવવું-વિદ્યાભ્યાસ કરવો,ધાર્મિક ગ્રન્થ-મહાભારત,રામાયણ,શ્રીમદગીતા,શ્રીમદગીતા,શિક્ષાપત્રી,કબીર બીજક,વિગેરે વાંચન કરવું.(૨)ખેતર ખેડવું,રીક્ષા,છકડો,ફોર વીલ ગાડી,રથ,ઘોડા,હાથી,ચલાવવા અને સવારી કરવી,(૩)ભોજપત્ર,સોનુ,તાંબા,ચાંદી,અષ્ટ ધાતુ,વિગેરે ધાતુના મંત્ર વડે સિદ્ધકરી યંત્ર બનાવવા,કળશ યંત્ર,શનિયંત્ર,વાસ્તુયંત્ર,કુબેરયંત્ર, શ્રીયંત્ર,પણ બનાવી શકાય તેને અભિમંત્રીત કરવા.(૪) હિમાલય,માઉન્ટ આબુ,ગિરનાર,પાવાગઢ,ચોટીલા ચામુંડાના પર્વત,વિગેરે પર્વત-માઉન્ટ ઉપર ચડાણ કરી-પ્રવાસ કરી શકાય.(૫) સંગીતશાસ્ત્ર માં ડાન્સ,વિગેરે અભ્યાસ કરી શકાય,(૬)નદી,તળાવ,સરોવર,ઝ રણુ, માં સ્નાન કરી શકાય, શક્યન હોયતો પોતાનાં પોતાના ઘર/ મકાનમાં પણ સ્નાનદીક ક્રિયા કરી શકાય,(૭)દર્દ-બીમારીમાં ઔષધ-દવા લઈ શકાય,વેપાર-વ્યવસાયમાં માલ વેચી શકાય,(૮)દેવ/દેવીઓની સાધના,10 મહાવિદ્યા ની સાધના,યક્ષિણી,વૈતાલ વિગેરે ભૂતાદિકની સાધના વિધિ વિધાન કરી શકાય, ...

ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનનિવારણ ll

ll સ્વરશાસ્ત્રથી કાર્યસિદ્ધિ અને રોગનિવારણ ll             અતિપ્રાચીન સમયમાં લાખો વર્ષો પહેલા ઋષિ મુનિઓએ આત્મસાક્ષાત કરી સ્વરશાસ્ત્ર (સ્વરોદય ) જ્ઞાન પ્રાપ્ત કરી જન સમૂહને ઉપયોગી થાય,રોગમટે,અને આત્મ સાક્ષાત્કાર થાય,ને અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય તેવા ચોક્કસ સમય આધારો નક્કી કર્યા છે, આ ગુઢજ્ઞાન પ્રાપ્ત થાય તો જીવતા જીવ વ્યક્તિ સમાધિ પણ લઈ શકે,ત્રિકાળ જ્ઞાની પણ બની શકે,અને લોકોના પ્રશ્નોનું સહેલાયથી નિરાકરણ પણ કરી શકે,માત્ર તેને ગણિતશાસ્ત્ર ની જેમ સમજવું પડે,એકવાર સમજાય જાય પછી કંઈજ કરવાનું ન રહે.આ વિષય ના કોઈ જાણકાર સદગુરુ મળી જાય તો રસ્તો સરળ બની જાય,આ લેખ માં પ્રાચીનગ્રંથોનો આધાર લઈ તૈયાર કરવામાં આવેલ છે.સૌ વાચક મિત્રો અને સાધકોને ગમશે,અને ઉપયોગી થશેજ *આસન*             ઘણા લાંબા સમય સુધી એક જગ્યાએ એક આસન ઉપર બેસવું અથવા બેસવાનો અભ્યાસ કરવો તેનું નામ *આસન* કહેવાય છે.             ઓછામાં ઓછું 3 કલાક 36 મિનિટ અને વધુમાં વધુ 5 કલાક 48 મિનિટ બેસવુ.આસન ઉપર બેઠયા પછી એકી કે મળત્યાગ કરવી નહીં,આસન ઉપર...

ll વર્ણપ્રમાણે ચમત્કારિક પદરિયો યંત્ર મંત્ર પ્રયોગ ll ભાગ:-2 ll

ભાગ-2 llવર્ણપ્રમાણે ચમત્કારિક પંદરિયો યંત્ર મંત્ર પ્રયોગ ll ક્રમશઃ આગળથી...                       મંત્ર-તંત્રશાસ્ત્રમા યંત્રોનું ઘણુંજ ચમત્કારિક મહત્વ બતાવવામાં આવ્યું છે.તેમાં મુખત્વે પંદરિયો,વિશો, બત્રીશો,વિગેરે ઘણા બધા યંત્ર આવી જાય. તેમાં વિવિધ પ્રકારના કાર્યો થાય છે.જેમકે:- લક્ષ્મી પ્રાપ્તિ,દુઃખ દર્દ, વશીકરણ,ભૂતપ્રેત,પ્રતિષ્ઠા, માન, સન્માન,પ્રશ્ન ફળ,સર્વ વિજય,વિદ્વેષણ, વિદ્યાપ્રાપ્તિ,પિતૃદોષ, વિગેરે  યંત્ર નું વિધિ વિધાન યથાવિધિ થાય તોજ કામો ચોક્કસ સમયમાં ફળીભૂત થાય છે .              આ સાથે વિવિધ 4 વર્ણ ના યંત્રો અને મંત્રો આપવામાં આવ્યા છે. મંત્ર જાપ કરવા માટે સોનુ,ચાંદી, પારા, રુદ્રાક્ષ, સ્ફટિક,કે તાંબા ની માળા હોવી જોઈએ.આ યંત્રો, ભોજપત્ર,તાંબુ, સોનુ,તાંબુ, કે સેવનના પાટિયા,માં તેમજ કોરા કાગળમાં લખી શકાય.તેને ભોજપત્ર માં લખી માદળીયા માં પહેરી શકાય, તેને પંચામૃત કે ગંગાજળ માં નવડાવી-સ્નાન કરાવી પછી શુદ્ધ વસ્ત્ર થી કોરો કરી સેવનના બાજટ ઉપર રેશમી વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટદલ બનાવી ફળ ...

llવર્ણપ્રમાણે ચમત્કારિક પંદરિયો યંત્ર મંત્ર પ્રયોગો ll

ll વર્ણપ્રમાણે ચમત્કારિક પંદરિયો યંત્ર મંત્ર પ્રયોગો ll ************************************ (1) બ્રાહ્મણ માટે યંત્ર મંત્ર પ્રયોગ :- ૮     ૧     ૬ ૭     ૫     ૭ ૪     ૯     ૨ મંત્ર:-  ll ૐ હ્રીંમ ગૌરી રુદ્રદેવ તે યોગેશ્વરી સ્વાહા ll મંત્ર જાપ:-૧૫૦૦૧. (2)ક્ષત્રિય માટે યંત્ર મંત્ર પ્રયોગ:- ૪     ૩     ૮ ૯     ૫     ૧ ૨     ૭     ૬ મંત્ર:- llૐ હ્રીં હ્રીંમ (અમૂકમ) કાર્ય કુરુ કુરુ સ્વાહા ll (અમૂકમની જગ્યાએ જે કામ (કાર્ય ) કરવાનું હોય તે બોલવું. મંત્ર જાપ:-૧૫૦૦૧. (3)વૈશ્યો માટે યંત્ર મંત્ર પ્રયોગ:- ૨     ૯     ૪ ૭     ૫     ૩ ૬     ૧     ૮ મંત્ર:-  ૐ ગમ્ ગણપતયે નમઃ સર્વભૂતવશ્કર્તુ હું રુહેનમ ૐ કરૉડ નમઃ ll મંત્ર જાપ:-૧૫૦૦૧. (4)શુદ્ર માટે યંત્ર મંત્ર પ્રયોગ:- ૬     ૭...

llબાળકોના દુઃખ-દર્દ દૂરકરનાર મંત્ર પ્રયોગ ll

 llબાળકોના દુઃખ દર્દ દુરકરનાર મંત્ર ll મંત્ર:- *** ll ૐ ગુરુજી ૐ ગુરુજી વા,વાળો, વાવળી, તરીયો, ચોંથિયો તાવ, અમારો હાંકયો ન હાલે તો હાંકે અજેપાળ અજેપાળના હાથમાં રાંપી બોતેર વરાધ નાખે કાપી અજેપાળના ઘેર અજીયાદે રાણી એને  જન્મ્યા સાત કુંવર જડો, જુબડો, ઉનિયો, અગનીયો,તરીયો, અને ચોંથિયો,શબ્દ સાચા પીંડ કાચા સ્ફુરો મંત્ર ઈશ્વરી વાચા, વાચા ચુકે તો ઉભા સુકે.ll વિધિ વિધાન:- *********            આ પ્રયોગ કોઈ પણ મહિનાની અમાસ થી શરૂ કરવો,તે દિવસથી સવા મહિના સુધી અજેપાળના નામે બે વખત સવાર સાંજ દિવા અગરબત્તી કરવા વ્રત વિધિ વિધાન ના છેલ્લા દિવસે હોમ હવન કરવો ,7 કુવારીકાઓ નું પૂજન કરી,રોટલી,ઘી,ગોળ નું ભોજન કરાવવું,ત્યાર પછી સવા બે મહિના દરમ્યાન દરરોજ સવારે 108 સ્ફટિક ની માળા વડે મંત્ર જાપ કરવા (એટલેકે 108 મણકાની 1 માળા કરવી.)જેથી મંત્ર સિદ્ધ થઈ જશે,ત્યાર પછી કોઈ બાળકને -બાળક ને લગતા કોઇ પણ દર્દ જેમકે વા,તમામ પ્રકારના તાવ,વાળો નિકળવો, બાળકોની વરાધ,નજર વિગેરે મટી જાય છે, કાળા કલરનો ઉનનો દોરો લઈ 7 વાર મંત્ર બોલી 7 ગાંઠો કરીને ગળામાં ધારણ કરાવવો,અથવા બાળકના કમ...