ll અતિ પ્રાચીન મનોકામના પૂર્ણકરનાર વિસાયંત્ર ll

ll અતિ પ્રાચીન મનોકામના પૂર્ણકરનાર વિસાયંત્ર ll
સામગ્રી:-ગાયના ઘીનો દિવો,દશાંગધુપ,અગરબત્તી,625gm બાસમતી ચોખા,કંકુ,અબીલ,ગુલાલ,ગંગાજળથી ભરેલ તાંબાનો કળશ,તરભાનું,પીળા,લાલ,સફેદ કલરના ફૂલો,આબાનો બાજટ,શ્રીફળ -૨ (1 શ્રીફળ તાંબાના કળશ ઉપર મુકવા,અત્તરની નાની બોટલ,રૂ,દીવાસળી,વિગેરે સાધન સામગ્રી.
સમય:-રાત્રે.અથવા સવારે.(નક્ષત્ર યોગ પ્રમાણે )
આસન:-લાલ કલરનું રેશમી વસ્ત્ર .બાજટ ઉપર મુકવા.
દિશા:-પૂર્વ.
જપસંખ્યા:-મંત્રમાં જણાવ્યા મુજબ,
અવધિ:-મંત્ર વિધિ વિધાન પૂર્ણ થાય ત્યાં સુધી.
યંત્ર:-૧
                            વિસોયંત્ર
     ૐ......................................................હ્રીં
     ૯                                                      ૬
     .............................................................
                         ૧             ૪
                     .........................
                         ૭             ૮
     ..............................................................
      ૩                                                      ૨
    નમઃ......................................................શ્રીં

યંત્ર:-૨
     
       
          ...............................
          ૯            ૐ           ૯
          ...............................
          હ્રીં           ૨           શ્રીં
          ................................
          ૯.          નમઃ          ૯
          ................................

મંત્ર:-ll ૐ શ્રીં  નમઃ ll( સવા લાખ મંત્ર જાપ કરવા)
મંત્ર:-ll ૐ શ્રીં  હ્રીં  ક્લીં  લક્ષ્મીમ્યે નમઃ
          ૐ શ્રીં અક્ષ પીઠે ઠ: ઠ: ઠ: સ્વાહા ll (101 વાર મંત્રજાપ કરવા)
મંત્ર:-ll ૐ  હ્રીં  શ્રીં  નમઃ ll (52 હજાર મંત્ર જાપ કરવા )

વિધિ વિધાન:-
            આ મનોકામના પૂર્ણ યંત્ર અતિ પ્રાચીન જેન ગ્રંથ-ભોજપત્ર પરથી લેવામાં આવેલ છે.,કૈલાસ યંત્ર ની જેમ તેનું ફળ ચોક્કસ મળે છે. પણ તેને વિધિવત બનાવી તે સિદ્ધ કરવો તેની ખુબજ આવશ્યકતા છે. પરિપૂર્ણ સિદ્ધ થશે તો ઉન્નતિના દ્વાર આપો આપ ખુલી જશે. જે તમને અખૂટ સંપતિ ના માલિક બનાવશેજ.હવે વિગતવાર જોઈએ..
            ઉપરોક્ત બે યંત્ર પેકી એક યંત્ર પસંદ કરી ચાંદી અથવા સોનાની ધાતુમાં બનાવી શકાશે,યંત્ર બનાવવા માટે કોઈ પણ માસની અમાસ,રવિપુષ્પ, ગુરુપુષ્પયોગ,કાળીચૌદશ,કે દીપાવલી ના શુભયોગ નક્ષત્ર માં બનાવવા,વધુમાં વધુ 125 ગ્રામ કે 11 ગ્રામનો બનાવવો.નવરાત્રી કે આસો સુદ વિજયાદશમી-દશેરા,માં  એક થાળી સોનાની,ચાંદીની,અષ્ટ ધાતુ,અગર જર્મનસિલ્વર ની થાળીમાં પાંચ ચાંલ્લા ૐ ગમ્ ગણપતયે નમઃ બોલીને કરવા,ત્યાર બાદ સાથીઓ દોરવો-દોરવા-લખવા માટે કેસર-ચંદન મિશ્રીત શાહીનો ઉપયોગ કરવો. થાળીની વચ્ચે શ્રી લખવું,પછી સોના કે ચાંદીનો વિસોયંત્ર અને સવા રૂપિયો થાળી માં મુકી પૂર્વ દિશા તરફ બાજોટ મૂકી તેના ઉપર લાલ વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટદલ બનાવી બાજટ ફૂલોથી સજાવી તેના ઉપર થાળી મુકવી.આ સ્થાપિત યંત્ર સામે દિવાળી સુધી વિસાયંત્રનું અષ્ટ પ્રકારે વિધિવત પૂજન કરવું,સ્થપિત યંત્ર સામે નજર રાખીll ૐ શ્રી નમઃ ll આ મંત્ર ના સવા લાખ મંત્ર જાપ દિવાળીની રાતસુધી કરવા, અખન્ડ દીપ મંત્ર જાપ પૂર્ણથાય ત્યાં સુધી ચાલુ રાખવા.
              દિવાળીની રાત્રે 12/15 કલાકે વિસોયંત્ર અને સવા રૂપિયાને પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરી પ્રાણપ્રતિષ્ઠા કરવી,હાથમાં વાસક્ષેપ- હાથથીપર્શ કરવો,નીચેનો મંત્ર 108 વાર બોલવો.
મંત્ર:-ll ૐ શ્રીં હ્રીં કલીં મહાલક્ષ્મીમ્યે નમઃ,
          ૐ શ્રીં અક્ષ પીઠે ઠ:ઠ:ઠ: સ્વાહા ll
મંત્ર બોલી યંત્ર ઉપર વાસક્ષેપ નાખવો, આમ 108 વાર કરવું.ત્યાર પછી વિસાયંત્ર તેમજ સવારૂપિયાના સિક્કા ઉપર 108 વખત નીચેનો મંત્ર બોલી અભિષેક કરવો.
મંત્ર:-ll ૐ હ્રીંમ શ્રીંમ નમઃ ll
            કાળા તલ,ધોળા તલ,પિસ્તા,બદામ,ખડીસકર,અને બીજોરા મીશ્રીત ની 108 ગોળી બનાવી નીચેનો મંત્ર બોલી હવન કરવો,
મંત્ર:-ll ૐ હ્રીં શ્રીં નમઃ સ્વાહા ll
             હવન પૂર્ણ થયા બાદ  નમસ્કાર કરી યંત્ર અને સવા રૂપીઓ ચાંદી કે તાંબાના ડબ્બા માં મૂકી પૂજા સ્થાને ગુપ્ત ખાનામાં કે નાણાંની તિજોરીમાં મૂકી દેવું .બાજટ પરની તમામ સામગ્રી વિગેરે નદી તળાવ કે સરોવર માં પધરાવી દેવું,
             ફરીથી બીજા વર્ષે ધનતેરસ કે દીપોતસ્વીના દિવસે વિશાયંત્ર અને સવા રૂપીઓ -ચાંદીના સિક્કાને ગંગાજળથી પ્ર ક્ષાલન કરી ત્રણ કે પાંચ દિવસ અખન્ડ દિપક રાખી ધનતેરસથી  મંત્ર:-ll ૐ શ્રીંમ
નમઃ ll ના 12051 મંત્ર જાપ કરવા આ જાપ લાભપાચમ કે છઠ્ઠ સુધીમાં પુરા થાય તેમ ગણત્રી કરી વિધિ વિધાન કરવું.આમ દર વર્ષે કરવું જેથી વિસો યંત્ર અને મંત્ર સિદ્ધિ વર્ષો સુધી અવિરત ચાલુ જ રહેશે.
             આમ વિધિ વિધાન દર વર્ષે નિયમિત કરવાથીઘર/મકાનમાં અખૂટ ધનસંપતિ તેમજ લક્ષ્મીની અવિરત કૃપા ના પાત્ર થવાથી 151 વર્ષ પર્યન્ત લક્ષ્મીનો વાસ રહેશેજ.
              આમ વિસોયંત્ર ના પ્રભાવથી વિપુલ સાત્વિક ધનપ્રાપ્તિ થશે,જેનો યથાશક્તિ 15 ટકા ભાગ વર્ષની કમાણીનો અલગ કાઢી નિરાધાર ગરીબોને અનાજ,આવાસ,તેમજ અન્ય કાર્યો,લોકસેવા,સદાવ્રત,કથા,ભજન કીર્તન માં વાપરવા ,શાળાના ઓરડા બનાવવા મંદિર,જળાશયો,વિગેરેમાં વાપરવા.
 જેથી લક્ષ્મી દેવીની કૃપા અવિરત ચાલુજ રહેશેજ.આ વિધિ વિધા ન ત્વરિત ફળ આપનાર હોવાથી વિધિ વિધાન સમજી વિચારીને કરવું અગર જાણકાર જ્યોતિષાચાર્ય કે પંડિતની.સલાહ મેળવીને કરવુ.
                    -મોહનભાઇ આર માછી.જ્યોતિષાચાર્ય.

                     ll  અસ્તુ - શુભમ ભવતું ll

સંપર્ક /માર્ગદર્શન/મુલાકાત:- મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય, મંત્ર તંત્ર યંત્ર વિજ્ઞાન,મો:-94260 25175,
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
           






Comments

  1. સપર્ક/મુલાકાત માટે રૂબરૂ મળવું.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.