ll સરકારી તંત્ર અને રાજકીય વશીકરણ યંત્ર પ્રયોગ ll

સામગ્રી:-ભોજપત્ર,ગુલાલ,રક્તચંદન,કંકુ,કેશર, ગંગા જળ સહિતનો તાંબાનો કળશ,પુષ્પો,ગાયના ઘીનો દીવો,દશાંગ ધૂપ,
સોના,ચાંદી કે તાંબાનું તાવીજ.વિગેરે પૂજન સામગ્રી.
માળા:-કાળા સ્ફટિકની માળા,
સમય:-સૂચના મુજબ.
આસન:-દર્ભનું,
જપસંખ્યા:- રોજની 11 માળા.
અવધિ (સમય):-1શનિવારથી બીજા શનિવાર સુધી

મંત્ર:-ll ૐ હ્રીં શનિશ્વરાય નમઃ ૐ ll

યંત્ર:-

------------------------------------------------------------------
                      ૐ હ્રીં શનિશ્વરાય નમઃ ૐ
        -----------------------------------------------------
           હ્રીં             હ્રીં                હ્રીં                   હ્રીં 

       
           હ્રીં             જે સરકારી કે રાજકીય           હ્રીં                              વ્યક્તિને વશ કરવાનું હોય તેનું નામ 
                             યંત્રની વચ્ચે લખવું


           હ્રીં                                                     હ્રીં


           હ્રીં             હ્રીં                 હ્રીં                હ્રીં
      --------------------------------------------------------
                     ૐ હ્રીં  શનિશ્ર્વરાય નમઃ ૐ
-------------------------------------------------------------------

                સરકાર- સરકારી તંત્ર કે પ્રજાતંત્ર ના તાલુકા/જિલ્લા પ્રમુખ,ધારાસભ્ય,સંસદસભ્ય, રાજ્ય પ્રધાન મંત્રી,મંત્રી ગણ, વડા પ્રધાન,સેક્રેટરી,અને રાજ્ય સરકારી તંત્ર ના કલેકટર,ડીડીઓ,ટીડીઓ,મામલતદાર,પોલીસ ખાતાના અધિકારી,પોલીસ કમિશનર,પીએસઆઇ,વિગેરે કર્મચારીઓ,હસ્તક તમારું કામ ઢીલમાં કે ખોરંભે પડ્યું હોય અનુકૂળ પ્રત્યુત્તર મેળવવો હોય,સરકારમાં કે પ્રજાતંત્ર માં કંઈપણ રજુઆત રૂબરૂમાં કરવી હોય-કોઈ વિકાસનું કામ ટલ્લે ચડ્યું હોય કામની ફાઈલો માં નિર્ણય લેવાયો ન હોય તેવે સમયે આ વશીકરણ યંત્ર સરકારી તેમજ રાજકીય કામમાં સફળતા માટે ઉપયોગી થશે

વિધિ વિધાન:-
*********
                આ યંત્ર ઉપર જણાવેલ આકૃતિ અનુસાર ભોજપત્ર ના સમચોરસ ટુકડાને સ્વચ્છ કરી,ત્યાર પછી તેના ઉપર રક્તચંદન,કંકુ,કેશર, ગુલાલ,અને ગંગાજળ લઈ બધા પદાર્થો મિક્સ કરી ખરલમાં ઘૂંટી શાહી બનાવી ભોજપત્રમાં યંત્રની આકૃતિ મુજબ ચોરસ ખાનામાં લેખન કરી વશીકરણ યંત્ર તૈયાર કરવું.આ યંત્ર ને પૂજાના સ્થાને મૂકી રોજ બ્રહ્મ મુર્હુત સવારે વહેલા ૪,ચાર વાગે,સ્નાનાદિક પરવારી યંત્રની પૂજા કરવી, આ યંત્ર સિદ્ધ કરતા 1 શનિવારથી બીજા શનિવાર સુધી  દિન 8 લાગશે,રોજ 11 માળા મંત્રની કરવી,મંત્ર બોલતી વખતે અધુરો રહેવો ન જોઈએ,મંત્ર બોલાય ત્યાં શુધી પકડી રાખવો,પૂર્ણ થતાં છોડી દેવો.પછી ક્રમશ: ચાલુ રાખવો.
                વિધિ વિધાન શરૂ કરતાં પહેલાં યંત્રની અબીલ,ગુલાલ,કંકુ,પુષ્પ,ચોખા વડે પૂજા કરવી પછી જમણી હથેળીમાં પાણી રાખી મંત્રોચાર કરવો, અને પુષ્પ જળભરેલા કળશ માં માળાને બોળી વસ્ત્રથી સાફ કરી માળા વડે મંત્ર જાપ શરૂ કરવા,દરેક માળા પૂર્ણ થતાં તેની નોંધ રાખવી.સંખ્યા નોંધી બીજી માળા શરૂ કરવી,
                  11 માળા પૂર્ણ થતાં કલશના ફૂલથી યંત્ર ઉપર તેમજ પોતાના શરીર ઉપર વિવિધ અંગો ઉપર અને ચારેય દિશાઓમાં મંત્ર જળ છાંટવું સાધકે આ યંત્ર સાધના શનિવારથી શનિવાર સુધી કરી 9504 મંત્ર પૂર્ણ થયા બાદ યંત્ર સિદ્ધ થયેલો ગણી શનિશ્વર દેવની પૂજા કરી 11 વાર બે હાથ જોડી સંકલ્પ કરવો:-હે...!શનિદેવ મેં ભક્તિભાવ પૂર્વક વિધિ વિધાન પૂર્વક અનુષ્ઠાન કર્યું છે. તેમાં કોઈ ક્ષતિ આવી હોયતો ક્ષમ્ય ગણી આ યંત્ર સિદ્ધિનું વશીકરણ ફળ મને પ્રદાન કરો.
                   આમ પુર્ણાહુતી પછી મંત્રયુક્ત જળનું ત્રણવાર આચમન કરવું,પછી જો યંત્રને માદળીયામાં પહેરવું હોયતો સોનુ,ચાંદી કે તાંબાના ડોડી માં યંત્રની વચ્ચે" રાજસત્તા" કે "સરકારી તંત્ર"લખવું.અને વ્યક્તિગત રાજપુરુષ,કે સરકારી અધિકારીને વશીભૂત (વશીકરણ)કરવા હોયતો યંત્રમાં જે દિવસે જે વ્યક્તિ (રાજપુરુષ કે સરકારી અધિકારી)ને જે કામ અર્થે મળવું હોય ત્યારે પ્લાસ્ટિકની નાની ડબ્બી કે પ્લાસ્ટિકની નાની કોથળી માં સાથે પેન્ટ કે શર્ટ ના ખિસ્સા માં ડાબીબાજુ મૂકવુ,ને જવું.
              રાજકારણ વ્યક્તિ કે અધિકારી સાથે ચર્ચા કે વાતચીત કરવી,વાતચીત વેળા યંત્ર પર હાથનો પંજો મૂકી મંત્ર મનમાં બોલવો. પછી વાતચીત કરવી.વાતચીત કરતી વેળા વ્યક્તિની આંખ તરફ નજર રાખવી, મુલાકાત પૂર્ણ થયા બાદ ઘેર આવી પૂજા સ્થાને ચાંદીની ડબ્બી માં સુરક્ષિત મૂકી રાખો,અને જરૂર પડે ત્યારે લઈ જાવ,
               સિદ્ધ વશીકરણ યંત્ર ને કાયમી ધોરણે ઉપયોગમાં લેવો હોયતો વ્યક્તિ ના નામના બદલે "સરકારી તંત્ર" કે "રાજકીયસત્તા" તેમ લખવું હિતાવહ છે. જેથી તાવીજ -ડોડી ગળામાં ધારણ કરી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે યંત્ર અને મંત્રથી કામ સિદ્ધ થાય, નહિ તો દરેક કામ અર્થે 8 દિવસની ઉપાસના નો દર વખતે પરિશ્રમ કરવો પડે- ધ્યાનમાં લેવું.

                         ll મંગલ ભવતું ll

સંપર્ક/મુલાકાત/માર્ગદર્શન માટે:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય,Mo:-94260 25175.
**********************************************
           





Comments

  1. માર્ગદર્શન મુલાકાત માટે રૂબરૂ મળો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

માથાનો દુઃખાવો મટાડવાના મંત્ર પ્રયોગો.