ll કાર્યસિદ્ધિ માટે સદગુરુ બીજ મંત્રો ll

ll કાર્યસિદ્ધિ માટે સદગુરુ બીજ મંત્રો ll
***************************
(૧)સુલક્ષણા પત્ની મેળવવા મંત્ર પ્રયોગ :-
         આ મંત્રના માધ્યમ થી મનપસંદ પત્ની પ્રાપ્ત કરી શકાય છે,જે સુંદર હોય,શુલક્ષણા હોય,શોન્દર્યવતી હોય,સાક્ષાત લક્ષ્મી હોય,પ્રિય હોય,તે શિવાય અપ-લક્ષણ વાળી અન્ય સ્ત્રીથી જીવન તણાવગ્રસ્થ થઈ જાય છે.માટે જીવનને ઉન્નત-શુખમય બનાવવા માટે "તુલસીની માળા" વડે 51 માળાનો મંત્ર જાપ ગુરુવારે કરવો.
મંત્ર:- ll ૐ સું  હું  પરમ તત્વાય  રાયજીરામ ગુરુભ્યો નમઃ ll
        નોંધ:-રાયજીરામ ની જગ્યાએ પોતાના જે કઈ ગુરુ હોય તેમનું નામ બોલવું.
(૨)રોગનિવારણ મંત્ર પ્રયોગ:-
            ગુરુમંત્ર ચમત્કારિક છે,કોઈ પણ પ્રકારનો રોગ હોય જળમૂળથી મટી જાય છે, તેના શિવાય અન્ય કોઈ ઉપાય નથી,જે રોગ મુક્ત- પૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે.મંત્રનો રુદ્રાક્ષની માળા વડે સોમવારે 51 માળાથી મંત્ર જાપ કરવો.
મંત્ર:-ll ૐ રં  પરમ  તત્વાય રાયજીરામ ગુરુભ્યો નમઃ ll
(૩) દુઃખ-દરિદ્રતા દૂર કરવાનો મંત્ર પ્રયોગ:-
             આપેલ મંત્રના માધ્યમથી  જીવનમાં દુઃખ-દરિદ્રતા,દેન્યતા, જેવા શત્રુઓ નો નાશ કરી જીવનમાં સ્વસ્થતા લાવી સુખ-સમૃધ્ધિ-સપન્નતા લાવી જીવનને ઉલ્લાસિત વ પ્રફુલ્લિત બનાવી શકે છે, એશ્વરવર્ધિની માળા વડે મંત્ર નો મંગળવારે 51 માળાથી મંત્ર જાપ કરવો.
મંત્ર:-ll ૐ ક્રીમ પરમ તત્વાય રાયજીરામ ગુરુભ્યો નમઃ ll
(૪)સર્વસાધનાઓ મા સફળતા પ્રાપ્ત કરવા માટે મંત્ર પ્રયોગ:-
             આ મંત્ર સર્વશ્રેષ્ઠ છે. મોટી મોટી ઉચ્યકોટીની સાધના માં સફળતા પ્રાપ્ત કરાવવામાં સક્ષમ છે. કારણકે સદગુરુ જ માત્ર એવા વ્યક્તિ છે જે શુભ અને લાભ દેનાર છે.જે સમસ્ત ઉપાધિઓ નો નિકાલ કરી શકે છે,
              કોઈ પણ સાધના હોય જીવનમાં દરેક ક્ષેત્રે અવશ્ય સફળતા પ્રાપ્ત મલીજ શકે છે. મંત્રનો સાફલ્ય માળા થી સોમવારે 51 માળાનો મંત્ર જાપ કરવો.
મંત્ર:-ll ૐ હલીં પરમ તત્વાય રાયજીરામ ગુરુભ્યો નમઃ ll
(૫)સૌભાગ્યપ્રાપ્તિ માટે મંત્ર પ્રયોગ:-
               વારે વારે પ્રયત્ન કરવા છતાં ભાગ્ય સાથ ન આપે તો અને કાર્ય ન થાય તો "સૌભાગ્યમાળા"વડે ગુરુવારે સવારે 7/15થી મંત્રની 51 માળા કરવી કે જેથી દુર્ભાગ્ય દૂર થઈ સૌભાગ્યપ્રાપ્તિ  ચમત્કારિક પરિણામ લાવશે,આ મંત્ર અતિ તેજસ્વી અને પ્રભાવશાળી છે.
મંત્ર:-ll ૐ કલીં પરમ તત્વાય રાયજીરામ ગુરુભ્યો નમઃ ll
(૬)વિપતિદુર કરનાર મંત્ર પ્રયોગ:-
                 માનવ જીવનમાં દુઃખ તો આવે,કઠીનાઈ પણ આવે,વિપત્તિપણ આવે,પણ આ તમામ ઉપાધિ દૂર કરવા માટે ગુરુ મંત્ર શ્રદ્ધા અને નિષ્ઠા થી કરવામાં આવે તો તમામ વિપતિઓ નો નાશ થઈ જાય છે,રવિવારના દિવસે પ્રાતઃ કાળે 6/15 થી "અપદહન્તા માળા" વડે 51 માળા મંત્ર કરવા જેથી મંત્ર જાપ પૂર્ણ થયે તમામ ઉપાધિઓ-વિપતિઓ અવશ્ય દૂર થઈ જશેજ.
મંત્ર:-ll ૐ ખ્મ પરમ તત્વાય રાયજીરામ ગુરુભ્યો નમઃ ll
(૭) શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનો મંત્ર પ્રયોગ:-
                    જીવનમાં દરેકને એવું હોય છે કે  દરેક ક્ષેત્રે સફળતા મળે,ઉન્નતિના શિખરો પર પહોંચી જવાય,આ માટે ગુરુમંત્ર જેવો કોઈ પથદર્શક મંત્ર નહીં હોય,જો તમારે ઉચ્ચતા -શ્રેષ્ઠતા-મેળવવી હોય તો આ ગુરુ મંત્ર કારગત નીવડે છે,ચમત્કારિક પણ છે.ગુરુવારના દિવસે "અભ્યુદય માળા" વડે મંત્રના 51 માળાથી મંત્ર જાપ કરવા.
મંત્ર:-ll ૐ વં  પરમ તત્વાય રાયજીરામ ગુરુભ્યો નમઃ ll
(૮) મનોકામના પૂર્ણ કરનાર મંત્ર પ્રયોગ:-
                     આ સાથે આપેલ મંત્ર ઘણોજ ચમત્કારિક અને ત્વરિત ફળ આપનાર શ્રેષ્ઠ મંત્ર છે,તમામ મનોકામના પૂર્ણ કરનાર છે.સ્ફટિકની માળા વડે 51માળાથી મંત્રજાપ રવિવારના રોજ પ્રાતઃ કાળે સવારે 4/15 કલાકેથી શરૂ કરવો.મંત્ર જાપ પૂર્ણ થયે 5 કુમારીકાને ભોજન જમાડી સંતુષ્ટ કરવી.યોગ્ય દક્ષિણા આપી સહર્ષ વિદાય કરવી.
મંત્ર:-ll ૐ પરમ તત્વાય  ગુરુબ્રહ્મ આત્મ બ્રહ્મ ll
                   
                  ઉપરોક્ત જણાવેલ તમામ બીજાક્ષર મંત્રો ની 51 માળા કરવાથી ચોક્કસ લાભ થાય છે, આ લાભ સાધકને પણ થાય છે. આ એક પ્રાચીન પૂર્વજો પાસેથી મળેલ અતિ ચમત્કારિક તેજસ્વી મંત્રો છે,મંત્ર જાપ વિધિ વિધાન પૂર્ણ થયે માળાને નદી,તળાવ,સરોવર કે મંદિરમાં વિસર્જન કરી દેવુ. સ્થાપના પરની તમામ સામગ્રી પણ વિસર્જન કરવું.

                             ll તથાસ્તુઃ ll

સંપર્ક/માર્ગદર્શન/મુલાકાત:-મોહનભાઇ આર માછી,જ્યોતિષાચાર્ય,Mo:-94260 25175.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

       

Comments

  1. મુલાકાત માર્ગદર્શન માટે મળો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ll નવીન મકાન/ઘર માં ઘટસ્થાપન( ઘડો મુકવા) નો સરળ પ્રયોગ ll

ll સ્ત્રી વશીકરણ મોહિની મહામંત્ર સિદ્ધ પ્રયોગ ll

ll અરબી કોક શાસ્ત્રમાં સ્ત્રીની યોનીના વિવિધ પ્રકારો. ll